
કુદરતે માનવીને જન્મ આપ્યો છે તેની સાથેજ સૌને જીવન જીવવા કલા કે શકિતનો અખુટ ભંડાર સાથેજ પૃથ્વી પર મોકલ્યા છે ત્યારે કેટલાક બુઘ્ધિથી તો કેટલાક કરથી જીવન જીવે છે. આજકાલ ઓછી મહેનતે વધુ કમાવવાની લાલચ લોકોમાં વધુ છે ત્યારે કેટલાક પરિવારો પોતાના વ્હાલસોયા બાળકોને પાટી-પેન આપવાના બદલે પરિવારના ગુજરાન માટે અંગ કસરતના દાવ શીખવાડી લોકોને સસ્તુ મનોરંજન આપવાની લાલચમાં બાળકના ભાવિને અંધકારની ગર્તામાં ધકેલી રહ્યા છે ત્યારે સરકારના કાયદા કયાં ગયા કે પછી હોતી હૈ ચલતી હૈ.

No comments:
Post a Comment