
દેશભરની નદીઓમાં સૌથી વધુ પ્રદૂષણવાળી નદીમાં સાબરમતીનો સમાવેશ થાય છે, આ વાત કોઈ ખાનગી નથી. પ્રજા, સરકાર અને મ્યુનિ. તંત્ર પણ આ કડવી વાસ્તવિકતાથી અજાણ નથી, તેમ છતાં એક પણ સરકારી તંત્ર સાબરમતીને વધુ દૂષિત બનતી અટકાવવા યુદ્ધના ધોરણે પગલાં ભરતું નથી. હાલમાં પણ ઔધોગિક વસાહતોમાંથી અને ખુલ્લી ગટરો દ્વારા સાબરમતીમાં ઝેરી કેમિકલયુકત પાણી ૨૪ કલાક ઠલવાઈ રહ્યું છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ આ વાસ્તવિકતા પ્રસિદ્ધ થયા પછી કેવાં પગલાં ભરે છે તે હવે પ્રજાને જોવાનું છે.

No comments:
Post a Comment